નવી દિલ્હીઃ પતંજલી (Patanjali) સંસ્થાને કોરોના (Coronavirus)ની પહેલી આર્યુર્વેદિક દવા (Ayurvedic Medicine) બનાવવાનો દાવો કર્યો છે. યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev)એ હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કોરોનિલ દવા લૉન્ચ કરી. પતંજલીનો દાવો છે કે કોરોનિલ કોરોનાની સારવારમાં કારગર છે.
યોગગુરુ રામદેવે કહ્યું કે, કોરોનિલનું 280 કોરોનાના દર્દીઓ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. દવાને સમગ્ર રિસર્ચની સાથે તૈયાર કરવામાં આવી છે અને તેના સારા પરિણામ આવી રહ્યા છે.
We've prepared the first Ayurvedic-clinically controlled, research, evidence & trial based medicine for COVID19. We conducted a clinical case study&clinical controlled trial, and found 69% patients recovered in 3 days & 100% patients recovered in 7 days: Yog Guru Ramdev, Haridwar pic.twitter.com/QFQSVF0JIh
— ANI (@ANI) June 23, 2020
રામદેવે વધુમાં કહ્યું કે દેશ અને દુનિયા જે ક્ષણની પ્રતિક્ષા કરી રહી હતી, આજે તે આવી ગઈ છે. કોરોનાની પહેલી આર્યુર્વેદિક દવા કોરોનિલ તૈયાર થઈ ગઈ છે. આ દવાથી અમે કોરોનાની દરેક પ્રકારની જટિલતાને નિયંત્રિત કરી શક્યા છીએ.
યોગગુરુએ વિશેષમાં કહ્યું કે, આ દવાથી ત્રણ દિવસની અંદર 69 ટકા દર્દી રિકવર થઈ ગયા. એટલે કે પોઝિટિવથી નેગેટિવ થઈ ગયા. બીજી તરફ, આ દવાના માધ્યમથી 7 દિવસમાં 100 ટકા દર્દી સાજા થઈ ગયા છે.
બીજી તરફ, પતંજલિના CEO આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, પતંજલિના તમામ વૈજ્ઞાનિકો, NIMS યુનિવર્સિટીના ડૉક્ટર અને તમામ ડૉક્ટરોને અભિનંદન. આપનો પ્રયાસ આજે સાકાર થઈ રહ્યો છે. આર્યુર્વેદ હવે પોતાના અતીતના વૈભવને પ્રાપ્ત કરી શક્તિ સંપન્ન બનશે. માનવતાની સેવામાં વિનમ્ર પ્રયાસ પૂરો થવાની ખુશી આપ સૌ સામે વ્યક્ત કરતાં અત્યંત હર્ષ અનુભવી રહ્યો છું.
કોરોનિલ કિટનો ભાવ
આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, કોરોનિલ કિટ 545 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ કિટ 30 દિવસ માટે છે. એપ દ્વારા કોરોના કિટની ડિલિવરી ઓર્ડર મળતાં બે કલાકમાં કરવામાં આવશે.
આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, કોરોનિલ કિટ 545 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ કિટ 30 દિવસ માટે છે. એપ દ્વારા કોરોના કિટની ડિલિવરી ઓર્ડર મળતાં બે કલાકમાં કરવામાં આવશે.
#आयुर्वेदविजय_कोरोनिल_श्वासारि#कोरोना की एविडेंस बेस्ड प्रथम #आयुर्वेदिक औषधि, #श्वासारि_वटी ,#कोरोनिल का संपूर्ण साइंटिफिक डॉक्यूमेंट के साथ #पतंजलि योगपीठ हरिद्वार से पूज्य @yogrishiramdev जी और पूज्य @Ach_Balkrishna जी का 12 बजे लॉन्चिंग व लाइव प्रेस वार्ता pic.twitter.com/BbEqQxbn0S
— Patanjali Dairy (@PatanjaliDairy) June 23, 2020
રામદેવે કહ્યું કે, અમારી દવાનો 100% રિકવરી રેટ છે અને ડેથ રેટ ઝીરો છે. ભલે લોકો હજુ અમારા આ દાવા પર પ્રશ્ન કરે, અમારી પાસે દરેક સવાલના જવાબ છે. અમે તમામ વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે. યોગગુરુએ કહ્યું કે, આ દવાને બનાવવામાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં મુલેઠી, કાઢો સહિત અનેક ચીજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
0 Comments