Ticker

6/recent/ticker-posts

Breaking News: કાલે એક બે નહીં કોંગ્રેસના પક્ષપલટુ 8 ધારાસભ્યો એકી સાથે BJPમાં જોડાશે

કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યો હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. જીતુવાઘાણી ની અધ્યક્ષતામાં 8 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી વખતે બે વખત પડેલા રાજીનામાઓ બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યોની વિધિવત ભાજપના કેસરિયા કરવાની પ્રક્રિયા થશે. અર્થાત કોંગ્રેસમાંથી ભાજપ પ્રવેશ સીધો મળી ગયો છે.

કાંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યો

મંગળ ગાવિત ડાંગ
જે.વી. કાકડીયા ધારી
પ્રવિણ મારુ ગઢડા
સોમા ગાંડા પટેલ લીંબડી
પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા
અક્ષય પટેલ કરજણ
જીતુ ચૌધરી કપરાડા
બ્રિજેસ મેરજા મોરબી

કોંગ્રેસના 8 ધારાસભ્યો આપશે રાજીનામું

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને રાજીનામું ધરી દેનારા ધારાસભ્યો આવતીકાલે સવારે ભાજપમાં જોડાઈ રહ્યાં છે. રાજકારણમાં કોઈ કોઈનું સગું ન હોવાનું આ સાબિત કરે છે. ભરતસિંહ સોલંકીને ઘરભેગા કરી દેનાર આ ધારાસભ્યો હવે કેસરિયો ધારણ કરી લેશે. આ બધીય બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે. રાજ્યસભાની ત્રણેય બેઠકો પર જીત મેળવ્યા બાદ હવે ભાજપની નજર પેટાચૂંટણી પર છે.

પેટાચૂંટણીમાં મતદારોએ પક્ષપલટુઓ ઘેર બેસાડી દીધા છે

જોકે,પક્ષપલ્ટુ ધારાસભ્યોને ટિકીટ આપવાના મુદ્દે ભાજપની નેતાગીરી ચિંતિત હજુ પણ છે. કેમકે, પેટાચૂંટણીમાં મતદારોએ પક્ષપલટુઓ ઘેર બેસાડી દીધા છે. જેના પગલે હવે પેટાચૂંટણીમાં આ રાજકીય સાહસ કરવુ ભાજપને મોંઘુ પડી શકે છે. તે જોતાં ભાજપને મતદારો-ભાજપના કાર્યકરોનો મૂડ જાણવા ખાનગી સર્વે કરાવવા નક્કી કર્યુ છે. જોકે, આવતીકાલે એ ફાયનલ છે કે આ 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે. શનિવારે કમલમ ખાતે ભગવો ખેસ પહેરશે. કમલમમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણીની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ પહેરવાનો કાર્યક્રમ ઘડાયો છે. પેટા ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાતા પહેલાં ટીકીટ પાકી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

Buy this watch to click on image

ધારાસભ્યોને ટિકિટ આપવાનું વચન

રાજ્યસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિત, પ્રવિણ મારૂ, જે.વી.કાકડિયા , સોમાભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા ,અક્ષય પટેલ, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરઝાએ રાજીનામું ધરી દીધુ હતું. પેટાચૂંટણી માટે ભાજપે અંદરખાને ઉમેદવારની શોધખોળ શરૂ કરી દીધી છે. સૂત્રોના મતે, કોંગ્રેસ છોડી પક્ષપલટો કરનારાં કેટલાંક ધારાસભ્યોને ટિકિટ આપવાનું વચન અપાયું છે. હવે સવાલ એ ઉભો થયો થાય છે કે આ આઠેય બેઠકોમાં મોટાભાગની બેઠકો કોંગ્રેસ તરફી રહી છે. જો પક્ષપલટુને ભાજપ ટિકીટ આપે તો અલ્પેશ વાળી થાય તેવો ભાજપના નેતાઓને ડર સતાવી રહ્યો છે.

ગુજરાત સરકારમાં કોંગ્રેસીકરણ થઇ ચૂક્યું છે. કેડરબેઝ અને સિદ્ધાંતો સાથે ચાલતી પાર્ટીની દિશા ફંટાઇ છે. એ સ્પષ્ટ સાબિત થઈ ગયું છે કે ભાજપ હવે ચૂંટણી જીતવા માટે કોઈ પણ સિદ્ધાંતોને નેવે મૂકી છે. એટલે જ ભાજપમાં ઓરિજનલ જનસંધના નેતાઓ કરતાં કોંગ્રેસના નેતાઓ વધારે છે. રાજ્યમાં ૧૯૯૫માં હિન્દુત્વની લહેરમાં જે બહુમતી મળી હતી અને તે સમયે જે ભાજપ હતું તેનાથી વિપરીત આજના ભાજપમાં ૨૨ ટકા કોંગ્રેસી નેતાઓ ઘૂસી ચૂક્યાં છે. સત્તા અને સંખ્યાબળ ટકાવી રાખવા માટે ભાજપે ૨૦૦૨થી ૨૦20 સુધીની વિધાનસભાની ચાર અને લોકસભાની બે ચૂંટણીમાં પાર્ટીમાં આયાતી ઉમેદવારો અને આગેવાનોની ભરતી કરી છે.

૨૦૦૨ પછી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સાંસદ-ધારાસભ્ય

૧. કુંવરજી બાવળિયા

૨. ડો. આશા પટેલ

૩. જવાહર ચાવડા

૪. વિઠ્ઠલ રાદડિયા

૫. જ્યેશ રાદડિયા

૬. નરહરિ અમીન

૭. રાધવજી પટેલ

૮. ધર્મેન્દ્રસિંહ જાડેજા

૯. બાવકુ ઉંઘાડ

૧૦. સી. પી સોજીત્રા

૧૧. જશાભાઇ બારડ

૧૨. તેજશ્રી પટેલ

૧૩. રામસિંહ પરમાર

૧૪. અમિત ચૌધરી

૧૫. માનસિંહ ચૌહાણ

૧૬. સીકે રાઉલજી

૧૭. ભોળાભાઇ ગોહિલ

૧૮. કરમશી પટેલ

૧૯. મહેન્દ્રસિંહ વાઘેલા

૨૦. બલવંતસિંહ રાજપૂત

૨૧. પ્રહલાદ પટેલ

૨૨. છનાભાઇ ચૌધરી

૨૩. શ્યામજી ચૌહાણ

૨૪. ગિરીશ પરમાર

૨૫. જ્યંતિલાલ પરમાર

૨૬. સુંદરસિંહ ચૌહાણ

૨૭. નિમાબહેન આચાર્ય

૨૮. છબીલ પટેલ

૨૯. રાજેન્દ્ર ચાવડા

૩૦. પ્રભુ વસાવા

૩૧. પરેશ વસાવા

૩૨. કુંવરજી હળપતિ

૩૩. દલસુખ પ્રજાપતિ

૩૪. પરસોત્તમ સાબરિયા

૩૫. વલ્લભ ઘાવરિયા

૩૬. જીવાભાઇ પટેલ

૩૭. મનીષ ગિલીટવાલા

૨૮. શંકર વારલી

૩૯. લીલાધર વાઘેલા

૪૦. દેવજી ફતેપરા

૪૧. કુંવરજી હળપતિ

૪૨. પરબત પટેલ

૪૩. તુષાર મહારાઉલ

૪૪. ઉદેસિંહ બારિયા

૪૫. ભાવસિંહ ઝાલા

૪૬. લાલસિંહ વડોદિયા

૪૭. મગન વાઘેલા

૪૮. ઇશ્વર મકવાણા

૪૯. સુભાષ શેલત

૫૦. ઉર્વશીદેવી

૫૧. મનસુખ વસાવા

૫૨. કરસનદાસ સોનેરી

૫૩. ભાવસિંહ રાઠોડ

૫૪. અનિલ પટેલ

૫૫. નટવરસિંહ પરમાર

૫૬.જયદ્રથસિંહ પરમાર

૫૭. પીઆઇ પટેલ


ગુજરાત કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મોટા નેતાઓ કે જેમાં સાંસદો તેમજ ધારાસભ્યોનો સમાવેશ થાય છે તેની સંખ્યા ૫૭ થવા જાય છે. એટલે કે ગુજરાતમાં ભાજપની સરકાર અને સંગઠન છે તેમાં ૨૨ ટકા નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે. સમાજમાં વર્ચસ્વ ધરાવતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ભાજપે સરકાર અને સંગઠનમાં મહત્વના હોદ્દા આપ્યા છે. જેમ કે બલવંતસિંહ રાજપૂતને ભાજપની સરકારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં ચેરમેન બનાવ્યા છે, જ્યારે મહેસાણાના કોંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલને ભાજપે ગુજરાત મિનરલ ડેવલમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેનનું પદ આપ્યું છે.

રાજ્યમાં ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોની ભાજપમાં સંખ્યા ૫૭ થવા જાય છે. એ ઉપરાંત કોંગ્રેસે ચૂંટણીમાં મેળવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યોને તોડીને કોંગ્રેસનું શાસન ભાજપે આંચક્યું છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાનું સૂત્ર લઇને આગળ વધતા ભાજપમાં અત્યારે કોંગ્રેસ યુક્ત ભાજપનો માહોલ સર્જાયો છે. સ્થાનિક સંસ્થાઓના કોંગ્રેસના ૧૫૦૦ જેટલા સભ્યો હાલ ભાજપમાં છે. મોટા નેતાઓની સાથે તેમના સમર્થકો અને સાથીઓ પણ ભાજપમાં જોડાયા હોવાની ૩૫ ઘટનાઓ ગુજરાતમાં બની છે જેમાં કોંગ્રેસના કાર્યકરોની સંખ્યા ૪૫૦૦ કરતાં વધુ જોવા મળે છે.

૨૦૧૭ની વિધાનસભાની ચૂટણીમાં ભાજપે પક્ષાંતર કરાવીને કોંગ્રેસના સિનિયર ડઝનબંધ નેતાઓને પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને કેબિનેટમાં મહત્વના પદ આપવામાં આવ્યા છે. ભાજપમાં વર્ષોેથી ચૂંટાઇને ધારાસભ્ય બનતા સિનિયર સભ્યોને મંત્રીપદ મળતું નથી પરંતુ કોંગ્રેસના આયાતી સભ્યોને સરકારમાં મહત્વના પદ મળી જાય છે. ગુજરાત ભાજપને જાણે કે કોંગ્રેસનો રોગ લાગ્યો છે. આ રીતે કોંગ્રેસને ખતમ કરીને ભાજપે પ્રવેશના દરવાજા ખોલીને શું સિદ્ધ કર્યું છે તે પાર્ટીના પાયાના કાર્યકરોને સમજાતું નથી.


Post a Comment

0 Comments